GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો. 2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે. 3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સર્વોચ્ચ ન્યાયાલયે પ્રસ્થાપિત કર્યા અનુસાર રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના સંદર્ભે રાષ્ટ્રપતિની એ અંગેની ખાતરી ન્યાયિક સમીક્ષાથી પર છે. 2. સંસદ દ્વારા રાષ્ટ્રપતિની ઉદ્ઘોષણાને મંજૂરી અપાયાં બાદ જ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવું જોઈએ. 3. સંસદની મંજૂરી અપાયા પહેલાં, રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનસભાને સ્થગિત કરી શકે છે પરંતુ તેને બરતરફ (dismiss) કરી શકતા નથી.