GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે. 2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે. 3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો. 2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે. 3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આયોગને કોઈપણ બાબતમાં કે કોઈપણ ફરિયાદમાં તપાસ કરવા માટેની દીવાની અદાલતની સત્તાઓ છે. 2. કોઈપણ અદાલત અથવા કચેરીમાંથી જાહેર રેકર્ડ માંગવાની સત્તા છે. 3. આયોગને સોગંદનામાઓ ઉપર પુરાવા મેળવવાનો કોઈ અધિકાર નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતની આર્થિક મોજણી 2020-2021 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત આર્થિક મોજણી 2020-2021 કોવિડ યોધ્ધાઓ (વોરિયર્સ)ને સમર્પિત કરવામાં આવી હતી. 2. ભારતનું વાસ્તવિક ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) નાણાકીય વર્ષ 2021-22 માં 11% વૃદ્ધિ નોંધાશે અને નોમિનલ (Nominal) GDP 15.4% વધશે કે જે સ્વતંત્રતા બાદ સૌથી વધુ છે. 3. ભારતે ચાર સ્તંભ - નિવેશ (containment), રાજવૃત્તીય (fiscal), નાણાકીય (financial) અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓ - વાળી વ્યૂહરચના અપનાવી છે.