કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઉજ્જવલા– 2 યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. ઉજ્જવલા– 2 યોજના હેઠળ સ્થળાંતર કરનારાઓને LPG સિલિન્ડર મેળવવા માટે રાશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ રજૂ કરવાની જરૂર રહેશે નહીં. 2.આ યોજના હેઠળ દરેક LPG જોડાણ માટે BPL પરિવારોને 1600 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 3. ઉજ્જવલા 2.0 લાભાર્થીઓને પ્રથમ રીફિલ અને હોટપ્લેટ વિના મૂલ્યે આપવામાં આવશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો.
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘ટ્રિબ્યુનલ સુધારણા (સેવાની સુવ્યવસ્થિતા શરતો) બિલ, 2021’ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1.આ બિલ અંતર્ગત 9 અપીલ સંસ્થાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યો અન્ય ન્યાયિક સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 2. આ બિલ હેઠળ કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ્સના સભ્યોની લાયકાત, નિમણૂક, કાર્યકાળ, પગાર અને ભથ્થા, રાજીનામુ તથા સેવાની શરતો અંગેના નિયમો બનાવવા માટેની સત્તા આપવામાં આવી છે. 3. આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘સર્ચ-ક્રમ-સિલેકશન’ની ભલામણ પર ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.