GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી. 2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી. 3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ? 1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી. 2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ 3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા. 4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના 2020-2021 સામાજીક - આર્થિક સર્વેક્ષણ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1.પ્રાથમિક શિક્ષણ (ધોરણ 1 થી V) માં છોડી દેવા (dropout) નો દર એ 2001-02ના 20.50ની સરખામણીએ 2019-20માં નોંધપાત્ર રીતે ઘટીને 1.37 થયેલ છે. 2. વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં રોજગાર વિનિમય દ્વારા કુલ નોંધણી સામે રોજગારમાં નિયુક્તિનો ફાળો 72.52% હતો. 3. માત્ર નવ માસના ટૂંકાગાળામાં 55630 સૌર રૂફટોપ પ્રણાલી થી 208 MW પ્લાન્ટની સ્થાપના દ્વારા ગુજરાતે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.