GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ચાર વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે એ અંગેના વિધાનો નીચે આપેલ છે. • અજય : કોરોના વાયરસના કારણે આ વર્ષે ભારતમાં આર્થિક વૃદ્ધિનો દર ઓછો છે. • અકબર : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસ ને કારણે પ્રતિકૂળ અસર થઈ છે. • એન્થની : કોરોના વાયરસ ના કારણે જે મંદી આવી છે, તેને પહોંચી વળવા માટે વિશ્વના દેશોની સરકારો એ વિસ્તૃત રાજકોષીય નીતિ અપનાવી છે. • અમરસિંહઃ હું માનું છું કે અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા સરકારોએ સાર્વત્રિક મૂળભૂત આવક યોજના (UBI) લાગુ કરવી જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી તે વ્યક્તિ ને ઓળખો જેનું નિવેદન આદર્શલક્ષી છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી. II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી. III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે. IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.