GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય. 2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય. 3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ. 2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે. 3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાયાં છે ? 1. લોક્સભાના વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે. 2. લોક્સભાના અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટીસ આપવી પણ ફરજીયાત છે. 3. અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.