GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કર આયોજન સંદર્ભે નીચેના પૈકી કયું સાચું/સાચા છે ? i. તે અભિગમમાં ભવિષ્યવાદી છે. ii. કર પ્રબંધનની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. iii. તેનાથી ઉદભવતા લાભ ટૂંકા ગાળા પૂરતા સીમિત હોય છે. iv. તેનો મુખ્ય ઉદ્દેશ કર જવાબદારી ઘટાડવાનો છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘A’ ને ભારત સરકાર દ્વારા કેનેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે અને તેઓ તારીખઃ 31-03-2021 ના રોજ પુરા થતા સમગ્ર પાછલા વર્ષ દરમ્યાન કેનેડામાં જ રહ્યા છે. ભારત સરકારે તેમને કેનેડામાં જ રૂા. 50 લાખ પગાર ચૂકવ્યો છે અને તે ઉપરાંત રૂા. 12 લાખના સવલતો અને ભથ્થાઓ પણ તેમને કેનેડામાં જ ચૂકવાયેલ છે. શ્રીમાન ‘A’ ની ઉપરોક્ત માહિતી પરથી નીચેના પૈકી કયું વિધાન સાચું છે.
આપેલ પૈકી એક પણ નહીં
પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર નથી. કારણ કે તેઓ બિન-રહીશ છે અને તેમણે ભારત બહાર તેમની સેવાઓ માટે પગાર પ્રાપ્ત કરેલ છે.
રૂા. 50 લાખનો પગાર ભારતમાં કરપાત્ર થશે, તેમ છતાંય સવલતો અને ભથ્થા ભારતમાં કરપાત્ર થશે નહિ.
રૂ।.62 લાખના પગાર, ભથ્થા અને સવલતો ભારતમાં કરપાત્ર થશે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે. II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે. III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે. IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સાચું/સાચા નથી ? I. કોઈપણ વસ્તુના બે મૂલ્ય હોય છે ઉપયોગીતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય II. ઉપયોગિતા મૂલ્ય એટલે જ તુષ્ટિ ગુણ III. ઉપયોગિતા મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં વિનિમય મૂલ્ય હોઈ શકે IV. વિનિમય મૂલ્ય ન હોવા છતાં વસ્તુમાં ઉપયોગીતા મૂલ્ય હોઈ શકે આપેલા વિકલ્પ માંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.