GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં પ્રસ્તાવો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ખાનગી સભ્ય પ્રસ્તાવ (Private Member Resolution) – તે ફક્ત બપોરની બેઠકમાં એકાંતર (alternative) શુક્રવારે ચર્ચા કરવામાં આવે છે.
2. સરકારી પ્રસ્તાવ – તે સોમવારથી ગુરૂવાર સુધીમાં કોઈપણ દિવસે હાથ ઉપર લઈ શકાય છે.
3. વૈધાનિક પ્રસ્તાવ – તે ફક્ત મંત્રીઓ દ્વારા જ રજૂ કરી શકાય છે.
4. વૈધાનિક પ્રસ્તાવ – તે હંમેશા બંધારણની જોગવાઈઓ અથવા સંસદના કાયદા અનુસાર મેજ ઉપર મૂકવામાં આવે છે.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું.
2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું.
3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો.
2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી.
3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું એક્સપોર્ટ પ્રમોશન કેપીટલ ગુડ્ઝ યોજનાનો ઉદ્દેશ્ય નથી ?

ઉત્પાદકો પાસેથી સીમા શુલ્ક ઓછું લેવું.
નિકાસને વધારવા માટે મૂડીગત માલની આયાતને પ્રોત્સાહન આપવું.
ભારતમાંથી નિકાસને પ્રોત્સાહન આપવું.
ઉત્પાદન ક્ષેત્રમાં ઉચ્ચ ટેકનોલોજીવાળા મૂડીગત સાધનસરંજામ દાખલ કરવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વિટામીન G રાઈબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે.
2. વિટામીન A સામાન્ય રીતે માનવમૂત્રમાં વિસર્જન થતું વિટામીન છે.
3. તાજા આથાના કોષો વિટામીન B નું સારૂ સ્ત્રોત છે.
4. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણરૂપ વિટામીન વિટામીન K છે.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફકત 1 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP