Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
"ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી.

અરવિંદ ઘોષ
લાલા લાજપતરાય
ચંદ્રશેખર આઝાદ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

ફક્ત iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ
ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ
iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના

ફક્ત i
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.
ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.
iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.
iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.

ફક્ત ii અને iii
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે.
ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે.
iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાની ચિત્રકલાનું મૂળ સ્ત્રોત પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલીમાં રહેલું છે.
ii. રાજસ્થાની ચિત્રકલામાં ભારતીય ભીતચિત્રોની પરંપરા રહેલી છે.
iii. પહાડી ચિત્રકલાના વિકાસમાં મુઘલ ચિત્રકલાનો પણ ફાળો છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP