GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત સરકારના મિશન ઈન્દ્રધનુષ 3.0 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ બે તબક્કાઓમાં, 21મી ફેબ્રુઆરી 2021 થી અને 22મી માર્ચ, 2021 થી શરૂ કરવામાં આવશે. II. આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં હાથ ધરવામાં આવશે. III. મિશન ઈન્દ્રધનુષ 3.0 ભારતમાં વિના મૂલ્યે ગર્ભવતી મહિલાઓ અને બાળકોને રસીકરણ પૂરૂ પાડવાની પહેલ છે. IV. આ કાર્યક્રમની માર્ગદર્શીકા પ્રમાણે 250 જિલ્લાઓ ઓછા જોખમવાળાં જિલ્લાઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે. II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે. III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક (Consumer Price Index for IndustrialWorkers) (CPI-IW) માં થયેલા સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આધાર વર્ષ સુધારીને 2017 કરવામાં આવ્યું છે. 2. આધાર વર્ષ બદલાયું હોવાથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. 3. તેનો ધ્યેય દર પાંચ વર્ષે શ્રેણી સુધારવાનું છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ ઊંચો હોય ત્યારે તે ___ તરફ દોરી જાય છે. 1. ભાવ સ્તરમાં વધારો 2. ધનવાન લોકો પર ઊંચો કર બોજ 3. ગરીબ લોકો પર ઊંચો કર બોજ 4. કરવેરાની આવકમાં ઘટાડો