GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું / ખોટાં છે ? 1. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 2. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે. 3. પ્રાણી જીવ વૈવિધામાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. 2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. 3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. 2. આ અધિનિયમ એ ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. 3. આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ મોટી જાહેરાત આપનાર જાહેરાતકાર, ઉત્પાદક, વ્યાપારી અથવા સમર્થન આપનાર પર રૂ. 10 લાખ સુધીનો દંડ લગાવી શકશે.