GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં. 2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ. 3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે. 4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ? i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy) ii. આવાસ (Housing) iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises) iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)
GPSC PI Prelim Exam Paper 03 January 2021
મહેસૂલી ખાધ (Revenue Deficit) બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે. ii. તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાને લે છે. iii. ધ ફીસકલ રીસ્પોન્સીબ્લીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાધ ઘટાડીને GDP ના 3% કરવાની રહે છે.