GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
6 સભ્યો : P, Q, R, S, T અને U નું બનેલું ત્રણ પેઢીઓ ધરાવતું કુટુંબ એક વર્તુળાકાર ટેબલ પર ભોજન માટે બેઠું છે. જે પૈકી R, S અને T પુરુષો છે જ્યારે P, Q અને U સ્ત્રીઓ છે. આ કુટુંબમાં 2 પિતા, 2 માતા અને ભાઈ-બહેનની એક જોડ (Pair of siblings) છે. દંપતીઓમાંના પ્રત્યેક સભ્ય એકબીજાની સામે બેઠા છે. ત્રણેય પુરૂષો સાથે બેઠા છે, જે સ્ત્રીઓ માટે પણ સાચું છે. U એ T ની પુત્રવધૂ છે અને તે તેની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. U ની પુત્રી તેણીની ડાબી તરફ બીજા સ્થાને બેઠી છે. તો U ના પતિની ડાબી તરફ બીજા સ્થાને કોણ બેઠું છે ?

P અથવા Q
P
R અથવા S
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેની ઘટનાઓને તેના બનાવના ક્રમમાં ગોઠવો.
I. મુસ્લિમ લીગની રચના
II. ક્રીપ્સ મિશન
III. રૉલેટ ઍક્ટ

II, III, I
II, I, III
I, II, III
I, III, II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

માત્ર 2 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

બંધારણનું આમુખ - યુનાઈટેડ કિંગ્ડમમાંથી લેવામાં આવેલ છે.
કટોકટી દરમ્યાન મૂળભૂત હકોને સ્થગિત કરવા - રશિયામાંથી લેવામાં આવેલ છે.
એક નાગરિકત્વ - કેનેડામાંથી લેવામાં આવેલ છે.
પ્રજાસત્તાકની વિભાવના - ફ્રાંસમાંથી લેવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ હરપ્પન મહોર ઉપર બેઠેલાં યોગી તરીકે જોવા મળે છે ?
I. બુદ્ધ
II. પશુપતિ
III. વરૂણ
IV. ઈન્દ્ર

ફક્ત I
ફક્ત I અને II
ફક્ત III અને IV
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

રાણીની વાવ
સહસ્ત્રલિંગ તળાવ
અડાલજની વાવ
લાખોટા તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP