Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રિકોણ ABC માં D, E અને F એ અનુક્રમે AB, AC અને BC ના મધ્યબિંદુઓ છે. P, Q અને R એ DE, DF અને EF ના મધ્યબિંદુઓ છે. તો ત્રિકોણ PQR અને સમાંતરબાજુ ચતુષ્કોણ ADFE ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
1 : 8
1 : 2
1 : 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

મુસ્લિમ
અનુસૂચિત જાતિ
ભારતીય ખ્રિસ્તીઓ
શીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

માત્ર 1 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

પ્રજાસત્તાકની વિભાવના - ફ્રાંસમાંથી લેવામાં આવેલ છે.
કટોકટી દરમ્યાન મૂળભૂત હકોને સ્થગિત કરવા - રશિયામાંથી લેવામાં આવેલ છે.
એક નાગરિકત્વ - કેનેડામાંથી લેવામાં આવેલ છે.
બંધારણનું આમુખ - યુનાઈટેડ કિંગ્ડમમાંથી લેવામાં આવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

I-a, II-c, III-b, IV-d
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a
I-d, II-b, III-c, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ.
II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું.
III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું.
IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.

I, II, III અને IV
ફક્ત I, II અને III
ફક્ત I, III અને IV
ફક્ત I, II અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP