GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
e-NAM બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ?
i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલ્વેનું નિર્માણ કરનાર.
ii. ભાવનગર ખાતે 1885માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર.
iii. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર.
iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર.

ફક્ત i અને ii
i, ii, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ?

દેવી ચળવળ
જોરીયા ભગત ચળવળ
ભગત ચળવળ
એકી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી.
ii. નરસિંહવર્મન-I એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું.
iii. દંણ્ડી નરસિંહવર્મન-II ના દરબારમાં કવિ હતાં.
iv. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે.

i,ii,iii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત ii,iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો.
i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી.
ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

ફક્ત i અને ii
એક પણ વિધાન સાચું નથી.
ત્રણેય વિધાનો સાચાં છે.
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (Statutory liquidity ratio) 70 બેઝિસ પોઈન્ટ સુધી ઘટાડે ત્યારે નીચેના પૈકી કયું થવાની સંભાવના રહે છે ?

આપેલ તમામ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign institutional investors) દેશમાં વધુ મૂડી લાવી શકે છે.
શેડ્યુલ્ડ વાણિજ્ય બેંકો તેમનો ધિરાણ દર ઘટાડી શકે છે.
ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (Gross domestic product) માં તીવ્ર વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP