GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.
તારણો :
I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.
II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.

જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ' સિક્કાઓ બહાર પાડ્યાં ?

મૂળરાજ
વનરાજ
સિધ્ધરાજ
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વિધાન : શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ ?
દલીલો :
I. આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય.
II. હા. ગરીબ માબાપને આ રીતે જ કંઈક રાહત મળશે.

ફક્ત દલીલ I મજબૂત છે.
દલીલ I અથવા II મજબૂત છે.
ફક્ત દલીલ II મજબૂત છે.
દલીલ I કે II પૈકી કોઈ મજબૂત નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p ≠ q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?

(p + q) ÷ 2 > √pq
(p + q) ÷ 2 < √pq
તમામ સાચા છે.
(p + q) ÷ 2 = √pq

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP