GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : ભારતમાં તમામ જગ્યાએ વધેલા કૃષિ ઉત્પાદનોમાં ખેડૂતોનો હાથ છે.
તારણો :
I. ભારતના 80% ખેડૂતો પાસે 1 હેકટરથી ઓછી જમીન છે.
II. નાની જમીનોમાં મોટી જમીનો કરતાં વધારે ઉત્પાદકતા છે.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદમાં ખાસ બહુમતી નિયમો (Special Majority Rules) વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ખાસ બહુમત પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાનો બહુમત છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનો બહુમત છે.
ઉપરોક્ત વિધાનમાં કુલ સભ્ય સંખ્યા એટલે ખાલી જગ્યાઓ અને ગેરહાજર છે કે નહિ તે ધ્યાને લીધા વિના ગૃહના કોઈ સભ્યો.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.
ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

તેના ઉલ્લંઘનના કિસ્સામાં અસર પામેલ (aggrieved person) સીધો વડી અદાલતમાં જઈ શકે પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી.
તેને બંધારણીય સુધારા વિના નિયંત્રિત, ઘટાડી કે સુધારી શકાય છે.
આપેલ તમામ
તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે?
I. દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ટંકારા ખાતે 1824 માં થયો હતો.
II. આર્યસમાજમાં મોટા ભાગલાં મુંબઈ ખાતે 1887 માં પડ્યાં.
III. દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા તત્વબોધિની સભાની સ્થાપના કરવામાં આવી હતી.

ફક્ત II અને III
ફક્ત II
ફક્ત I અને III
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રીટ (Writs) જારી કરવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ધારાસભાના અનાદરની કાર્યવાહીના કિસ્સામાં બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) જારી કરી શકાય નહીં
અર્ધન્યાયિક સત્તાધિકાર સામે પ્રતિષેધ જારી કરી શકાય નહીં
જ્યારે કામગીરી વિવેકાધિકારની હોય અને ફરજિયાત ન હોય ત્યારે પરમ આદેશ (Mandamus) જારી કરી શકાય નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP