GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) મુખ્ય બેંકની યોજનાનો વિચાર રાષ્ટ્રીય ક્રેડિટ કાઉન્સિલના ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ દ્વારા ઓક્ટોબર 1969માં શરૂ કરવામાં આવેલ હતો. (II) ગાડગીલ અભ્યાસ જૂથની ભલામણ અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં પર્યાપ્ત બેંકિંગ અને ક્રેડિટ માળખું ઊભું કરવા અને યોજના અને કાર્યક્રમોના વિકાસ માટે વિસ્તારને દત્તક લેવાનો અભિગમ હોવો જોઈએ. (III) સુખમોય ચક્રવર્તી સમિતિ દ્વારા આ વિચારને બાદમાં સમર્થન મળ્યું હતું. ઉપરની માહિતીને આધારે સાચો જવાબ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સીમાંત પડતર પધ્ધતિની વિશેષતા / વિશેષતાઓ કઈ છે ? (I) કુલ પડતરને સ્થિર અને ચલિત વિભાજીત કરવું કે જેમાં અર્ધ ચલિત પડતરનો ભાગ પણ હોય. (II) તૈયાર માલ, ચાલુ કામ જેવા સ્ટોકનું મૂલ્યાંકન ચલિત પડતરના ધોરણે હોય. (III) સ્થિર પડતર એ ખર્ચ થયા બાદ તુરંત જ માંડી વાળવામાં આવે છે કે જેથી પેદાશની પડતર કે સ્ટોકમાં તેનું સ્થાન મળતું નથી.