GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ કે ધંધાનું જીએસટી રજીસ્ટ્રેશન યોગ્ય જીએસટી અધિકારી દ્વારા રદ્દ થઈ શકે છે, જો -
(I) રજીસ્ટર્ડ વ્યક્તિ જીએસટીની જોગવાઈ કે કાયદાનો ભંગ કરે.
(II) સંયુક્ત રજીસ્ટર્ડ વ્યક્તિ જો એક મહિનામાં કર રીટર્ન ફાઈલ ન કરે.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો.
(I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (II) જ સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી બંધારણની જોગવાઈની કઈ કલમ દર્શાવે છે “સરકારની બધી જ આવકો અને રસીદો 'એકત્રિત ભંડોળ' માં જાય છે અને આ ભંડોળમાંથી નાણાંનો ઉપાડ માત્ર સંસદમાં પસાર થયેલ કાયદાના આધારે જ થાય છે."

અનુચ્છેદ 262
અનુચ્છેદ 266
અનુચ્છેદ 236
અનુચ્છેદ 466

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કયું આંતરિક જાહેર દેવાંનાં બોજનો માપદંડ નથી ?

વ્યાજ ખર્ચ - આવક ગુણોત્તર
આવક - દેવાંનો ગુણોત્તર
ઋણ સેવા - બચત ગુણોત્તર
વ્યાજ ખર્ચ - નફા ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આખરી માહિતી સંગ્રહ પહેલા પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ જરૂરી છે. નીચેનામાંથી કયો પ્રશ્નાવલીના પૂર્વ-પરિક્ષણનો ફાયદો નથી ?

જાણકારો પાસેથી વધારે સહયોગ સુરક્ષિત કરી શકાય છે.
પ્રશ્નાવલીનું પૂર્વ-પરિક્ષણ એ આખરી સર્વેક્ષણ જેટલું જ મહત્ત્વનું છે.
જવાબ નહી મળેલને કઈ હદ સુધી લેવાય તેનો વિચાર કરી શકાય
તપાસકર્તા પ્રશ્નાવલીમાં રહેલ ખામીઓ શોધી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP