GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેંક ના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. બેંકો નોટો છાપી અને બહાર પાડી શકતી નથી, પરંતુ તેઓ શાખ સર્જી શકે છે II. થાપણને ધિરાણમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને શાખ સર્જન તરીકે ઓળખવામાં આવે છે. III. વેપારી બેંકો દ્વારા શાખસર્જન અનિશ્ચિત સમય માટે ચાલુ રહે છે. IV. રોકડ અનામત પ્રમાણમાં વધારો બેન્કો દ્વારા થતાં શાખ સર્જનને ઘટાડે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે. II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે. ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.