GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે.
ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે.
iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે.
iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.

ફક્ત i, ii અને iv
ફક્ત ii અને iii
ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ?
i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી.
ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે.
iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.

i, ii, iii અને iv
ફક્ત i અને ii
ફક્ત iii અને iv
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
13મી દક્ષિણ એશિયાઈ રમતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
i. XIII મી દક્ષિણ એશિયાઈ રમતો શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી ખાતે યોજાઈ હતી.
ii. 13 મી દક્ષિણ એશિયાઈ રમતોનો સત્તાવાર માસ્કોટ (Mascot) કાળિયાર (Blackbuck) હતો.
iii. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકા - કુલ છ રાષ્ટ્રોએ 27 રમતીમાં ભાગ લીધો.
iv. એશિયન રમતોમાં ભારતની અધ્યક્ષ તરીકેની હાજરીને લીધે પાકિસ્તાને રમતોનો બહિષ્કાર કર્યો.

ફક્ત iii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ?
i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)
iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)
iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations)

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP