GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચાં છે ? (I) અંતિમ ડિવિડન્ડ સામાન્ય સભામાં જાહેર થાય છે. (II) વૈધાનિક ઑડિટરની નિમણૂક સામાન્ય સભામાં શૅરહોલ્ડરો દ્વારા થાય છે. (III) આંતરિક ઑડિટરને બોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. (IV) જો ડિબેન્ચર આનુષંગિક જામીનગીરી તરીકે બેંક અથવા લેણદારોને આપેલ હોય તો ઑડિટરે આ માન્યતા ડિબેન્ચર ટ્રસ્ટી દ્વારા આપેલ છે, તે નિશ્ચિત કરવું જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો જીએસટી ઑડિટના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) CGST એક્ટ 2017 ની કલમ 2(13) માં જીએસટી ઑડિટને વ્યાખ્યાયિત કરેલ છે. (II) ચાર્ટર્ડ્ એકાઉન્ટન્ટ અથવા કૉસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા જ જીએસટી ઑડિટ થઈ શકે છે. (III) કોઈપણ કરવેરા સત્તાધીશો જીએસટી ઑડિટ કરી શકતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ? (I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક. (II) બેંક ચાર્જિસ. (III) બેંકે જમા કરેલ વ્યાજ. (IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો નવા ભાગીદારના પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના સંબંધમાં સાચું / સાચાં છે ? (I) નવા ભાગીદારના પ્રવેશ સમયે લાભનું પ્રમાણની ગણતરી કરવામાં આવે છે, જ્યારે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે છે. (II) ત્યાગના પ્રમાણનો ઉદ્દેશ નવા ભાગીદાર દ્વારા જૂના ભાગીદારોને ચૂકવાતું નિશ્ચિત વળતર નક્કી કરવાનો છે કે જૂના ભાગીદારોએ પોતાના હિસ્સાનાં નકાનો ત્યાગ કર્યો છે, જ્યારે લાભના પ્રમાણનો ઉદ્દેશ ચાલુ રહેતા ભાગીદારો દ્વારા નિવૃત્ત અથવા છોડીને જઈ રહેલા ભાગીદારોને ચૂકવાતું વળતર નક્કી કરવાનો છે.