GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (III)
(II) અને (III)
(II) અને (IV)
(I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નાણાંકીય નીતિની મર્યાદાઓના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લઈ અને સાચો જવાબ પસંદ કરો.
(I) નાણાંકીય નીતિ વ્યાપક ફલક પર કામગીરી કરે છે, કે જે સંકડામણ અને તંગીની ઓછી વિચારણા કરે છે, જ્યારે સૂક્ષ્મ કક્ષાએ વ્યવહારનો સામનો કરે છે.
(II) નાણા બજારમાં વિભાગીકરણનું અસ્તિત્વ ન હોવું.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે.
(I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે.
(II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે.
(III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે.
(IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

ઉપરના બધા જ
માત્ર (III) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પરત આપ સમય એ યોજનામાં પ્રારંભિક રોકડ જાવક (રોકાણ)ને વસૂલ કરવાનો સમય છે.
(II) પરત આપ સમયના માપદંડ મુજબ, ઓછો પરત આપ સમય યોજના માટે વધુ ઇચ્છનીય છે.
(III) પરત આપ સમયના માપદંડનો ઉપયોગ કરનાર પેઢી સામાન્ય રીતે મહત્તમ સ્વીકાર્ય પરત આપ સમય સ્પષ્ટ કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (I) અને (II) સાચાં છે.
બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1956 થી
1949 થી
1969 થી
1960 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP