GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગની મૂલ્યસાપેક્ષતા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને તે પછી સાચો વિકલ્પ પસંદ કરો.
(I) માંગની સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતાને ઊભા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(II) માંગની સંપૂર્ણ મૂલ્યસાપેક્ષતાને આડા સીધા માંગ રેખા વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(III) માંગની સંબંધિત મૂલ્ય સાપેક્ષતાને નીચે તરફ ઢળતા સમતલ માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.
(IV) માંગની સંબંધિત મૂલ્ય નિરપેક્ષતાને નીચે તરફ ઢાળવાળા સખત માંગ વક્ર દ્વારા દર્શાવવામાં આવે છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (II) જ સાચું છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફુગાવાનો દર, બેરોજગારીનો દર અને પેદાશના ઉત્પાદન માટે ક્ષમતાનો ઉપયોગ શોધવા માટે જે પધ્ધતિ વપરાય છે તેને ___ કહેવાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
માહિતી નિકાસ પ્રયુક્તિઓ
પૂર્વાનુમાન પ્રયુક્તિઓ
માહિતી આયાત પ્રયુક્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?
(I) તુલનાત્મક ખર્ચ લાભ
(II) સસ્તી આયાત
(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ

(II) અને (III) બંને
માત્ર (II)
માત્ર (I)
(I) અને (II) બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો.
(I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.
(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.
(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (II) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (I) સાચું છે.
માત્ર (III) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.
તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.
તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ત્રણ ખાનાંવાળા રોકડમેળમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

પ્રથમ રોકડનું ખાનું, બીજુ વટાવનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
પ્રથમ વટાવનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું બેંકનું ખાનું
આપેલ પૈકી એક પણ નહીં
પ્રથમ બેંકનું ખાનું, બીજુ રોકડનું ખાનું અને ત્રીજું વટાવનું ખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP