GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ધંધાકીય નિર્ણય ઘડતર પ્રક્રિયા દરમિયાન માંગનું પૂર્વાનુમાન ખૂબ જ જરૂરી છે. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો તેનું મહત્વ સમજાવે છે.
(I) ઉત્પાદન આયોજન માટે તે પૂર્વશરત છે.
(II) અભિવૃધ્ધિની વ્યૂહરચનાઓ માંગના પૂર્વાનુમાનને આધારે બને છે.
(III) સફળ ઈન્વેન્ટરી અંકુશ માટે તે જરૂરી છે.
(IV) લાંબાગાળાની વૃધ્ધિ નિશ્ચિત કરવા માટે તે જરૂરી છે.

માત્ર (III) અને (IV)
ઉપરના બધા જ
માત્ર (II) અને (III)
માત્ર (I) અને (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેનામાંથી કઈ સંભાવના નિદર્શન પધ્ધતિ છે ?

સ્તરિત નમૂના પસંદગી
નિયત હિસ્સાની નમૂના પસંદગી
નિર્ણય આધારિત નમૂના પસંદગી
આનુષંગિક નમૂના પસંદગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
બેંક સિલકમેળ એ બેંકખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી, તે બંને બાકીઓની મેળવણી કરવા તૈયાર કરવામાં આવે છે. નીચેના પૈકી કયાં તફાવતના કારણો છે ?
(I) બેંકમાં ભરેલ અને જમા કરેલ ચેક.
(II) બેંક ચાર્જિસ.
(III) બેંકે જમા કરેલ વ્યાજ.
(IV) ચેક અથવા હૂંડી નકારાય ત્યારે

(II), (III) અને (IV)
(I) અને (II)
(I), (II) અને (IV)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી.
(II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો.
(III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.

માત્ર (I) સાચું છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (III) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ?

પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયો પ્રમાણ પડતર પધ્ધતિનો ઉદ્દેશ નથી ?

કામગીરી અને કાર્યક્ષમતાના મૂલ્યાંકન માટે ઔપચારિક આધાર પૂરો પાડવો.
પ્રમાણોની સ્થાપના અને વિચલનોના વિશ્લેષણ દ્વારા પડતરને અંકુશિત કરવી.
અંદાજપત્ર તૈયાર કરવામાં સહાયરૂપ થવું.
હિસાબનીશના કામગીરી મૂલ્યાંકનમાં સહાયરૂપ થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP