GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બીજી પંચવર્ષીય યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
i. તે લાંબાગાળાના આર્થિક ફાયદા માટે મૂડીગત માલ અને ભારે ઉદ્યોગોના વિકાસ માટેના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.
ii. બીજી યોજનાને મહાલનોબિસ યોજના (Mahalanobis Plan) તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
iii. તેનો લક્ષ્યાંક 4.5 ટકા વાર્ષિક રાષ્ટ્રીય આવક વૃધ્ધિનો હતો.

ફક્ત iii
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મોબાઈલ નંબર પોર્ટેબીલીટીના નવા નિયમો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. TRAI એ સેવા ક્ષેત્રમાં પોર્ટ સુવિધા 3 દિવસ સુધીમાં સૂચિત કરેલ છે.
ii. સેવાક્ષેત્રથી પોર્ટ આઉટ થવા માટે 15 દિવસનો સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.
iii. યુનિક પોર્ટીંગ કોડ (UPC) ની માન્યતા અગાઉ એક પખવાડીયાની હતી તે ઘટાડીને 4 દિવસની કરવામાં આવી છે.
iv. તે જમ્મુ અને કાશ્મીર (J & K) તથા આસામ અને ઉત્તરપૂર્વ સિવાયના તમામ સર્કલો (ક્ષેત્રો)માં લાગુ પડશે.

i, ii, iii અને iv
ફક્ત i, iii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી એકત્રિતતાની બાબતે નીચેના પૈકી કઈ જોડી અયોગ્ય રીતે જોડાયેલી છે ?
આદિવાસી જાતિ - વસ્તી એકત્રિતતાનો જિલ્લો
i. કોકના - નવસારી, વલસાડ, ડાંગ
ii. ગામીત - સુરત
iii. પટેલીયા - સુરત, વડોદરા
iv. રાઠવા - છોટાઉદેપુર

i, ii, iii અને iv
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત ii, iii અને iv
ફક્ત i, iii અને iv

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
દક્ષિણ ભારતમાં તાજેતરમાં દાવાનળ વધવાના નીચેના પૈકી કયા કારણો છે ?
i. જંગલોને ઇરાદાપૂર્વક સળગાવવા
ii. જ્વલનશીલ પાઈન નીડલ્સ (સોયની અણી જેવા પાન)
iii. વૃક્ષોનું મોસમી ચક્ર

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
“આયના મહલ”. “હૉલ ઑફ મિરર્સ'' બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. તે માંડવી ખાતે આવેલો છે.
ii. તે ઈન્ડો-યુરોપીયન શૈલીમાં બનેલ છે.
iii. રામસિંહ માલમ આ મહેલના કસબી હતાં.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP