GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બિનનિવાસી ભારતીયો (Non-Resident Indians) (NRIs) ના મતાધિકાર બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. NRIs એ જો સતત પાંચ વર્ષથી વધુ સમય માટે પરદેશમાં વસતા હોય તો તેઓ મત આપવા માટે પાત્રતા ધરાવતા નથી.
2. NRIs નું રહેઠાણ જ્યાં આવેલ હોય તે મતદાર ક્ષેત્રમાં માત્ર રૂબરૂમાં જ મત આપી શકે છે.
3. NRIs Electronically Transmitted Postal Ballot System (ETPBS) દ્વારા પરદેશમાંથી મત આપી શકે છે.
4. ભારતની બહાર નિમણૂંક પામેલા માત્ર સેના દળો, પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે જ અવેજી (Proxy) મતદાનનો વિકલ્પ ઉપલબ્ધ છે.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
તખલ્લુસ
I. મુમુક્ષુ
II. વનમાળી
III. સુકાની
IV. મકરંદ
લેખક
a. રમણભાઈ મહિપતરામ નીલકંઠ
b. ઝવેરચંદ મેઘાણી
c. કેશવલાલ ધ્રુવ
d. આનંદશંકર ધ્રુવ

I-a, II-c, III-b, IV-d
I-d, II-b, III-c, IV-a
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બૌદ્ધવાદ અનુસાર પુનર્જન્મના મૂળ ___ માં રહેલાં છે.

અજ્ઞાન (અવિજ્જા)
જોડાણ (ઉપાદાન)
લાલસા (તન્હા)
યાતના (દુઃખ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આપેલ તમામ
મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને મૂળભૂત હકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે.
2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે.
3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.

માત્ર 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પ્રશ્નોમાં એક/બે વિધાન અને તેની નીચે બે તારણો આપવામાં આવ્યા છે. તેમનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વિકલ્પનો સાચો જવાબ આપો -
વિધાન : સુધારકને જેમને જૂની વ્યવસ્થાથી લાભ થતો હોય તેઓમાં દુશ્મનો મળે છે અને જેમને નવી વ્યવસ્થાથી લાભ થાય તેઓમાં ઓછા ઉત્સાહવાળા સંરક્ષકો મળે છે.
તારણો :
I. જેમને જૂની વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ છે.
II. જેમને નવી વ્યવસ્થાથી ફાયદો થાય છે તેઓ સુધારકના શત્રુઓ નથી.

જો બંને તારણ I અને તારણ II વિધાનને અનુસરે છે
જો બંને તારણ I કે તારણ II પૈકી કોઈપણ વિધાનને અનુસરતા નથી
જો માત્ર તારણ I વિધાન ને અનુસરે છે
જો માત્ર તારણ II વિધાન ને અનુસરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP