GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બાબતે સાચુ / સાચાં નથી ? i. તે માર્ચ 2015 માં શરૂ કરવામાં આવી. ii. તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવશે. iii. તે 300 મીલીયન યુવાઓને તાલીમ પૂરી પાડશે. iv. તે ધોરણ X અને XII ના વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં વન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલોના મુખ્ય વિસ્તારો પશ્ચિમ ઘાટ, શિલોંગનો ઉચ્ચપ્રદેશ, આંદામાન-નિકોબાર દ્વિપસમુહ અને લક્ષદ્વીપ છે. ii. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોના મુખ્ય વૃક્ષો ટીક, સાલ, આંબો અને ચંદન છે. iii. ઉષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો ચોમાસુ વન તરીકે પણ ઓળખાય છે. iv. 1988ની રાષ્ટ્રીય વન નીતિ કુલ ભૌગોલિક વિસ્તારના 33 ટકા વન ક્ષેત્ર / વૃક્ષ હેઠળ હોવા જોઈએ તેવી દરખાસ્ત કરી હતી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ? i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે.