GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
XBRL (એક્સ્ટેન્સિબલ બિઝનેસ રિપોર્ટિંગ લેંગ્વેજ) વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
i. ભારતમાં XBRL ની શરુઆત એ હિસાબી ધોરણોમાં ફેરફારનું કારણ છે.
ii. XBRL નો એક મોટો ફાયદો એ છે કે તે નાણાકીય પત્રકોની તુલનાત્મકતાને પ્રોત્સાહન આપે છે.
iii. XBRL વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં હોવા છતાં, XBRL સુસંગત સોફ્ટવેર વિકસિત કરનાર સોફ્ટવેર વિક્રેતાઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.
iv. XBRL નો ઉપયોગ કર અને નાણાકીય સત્તાવાળાઓ, કેન્દ્રીય બેન્કો અને સરકારો સહિતના તમામ પ્રકારનાં નિયમનકારોને ધંધાકીય અહેવાલપ્રેષણ માટે કરી શકાય છે.
ઉપરોક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?

માત્ર ii, iii અને iv
માત્ર i અને iv
માત્ર i, ii અને iii
માત્ર ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથી
II. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ.
III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.
IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે.

II અને III
I અને IV
III અને IV
I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.
નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.
મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ?

દાણચોરીમાંથી થયેલ આવક
વસ્તુ સ્વરૂપે મળેલ આવક
વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે.
આકસ્મિક આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ?

બેંક દર
ખુલ્લા બજાર ની નીતિ
બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને
શાખ માપબંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP