નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો :
આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે.
ભયનું મૂળ...

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?