GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદ્દત એક સમયે તેની સામાન્ય મુદ્દત કરતાં એક વર્ષ માટે લંબાવી શકાય છે.
2. લોકસભાનો કાર્યકાળ એ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય છે. (એક સમયે એક વર્ષ માટે)
3. કટોકટી પૂરી થઈ ગયા બાદ લોકસભાનો કાર્યકાળ છ માસથી વધુ સમયગાળા માટે ચાલુ રહી શકે નહીં.

માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે.
2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે.
3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.

1,2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આદિવાસીઓમાં લગ્નના દિવસોમાં કયું નૃત્ય મહદંશે પુરુષો દ્વારા થાય છે ?

હાલેણી
આંબલી ગોધો
કૂદણિયું
માટલી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

25
આપેલ પૈકી એક પણ નહીં
26
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. ઘરશાળા
b. ગોવર્ધનરામ સાહિત્ય સભા
c. ગુજરાત સાહિત્ય સભા
d. નંદીગ્રામ
i. ભાવનગર
ii. નડિયાદ
iii. અમદાવાદ
iv. ધરમપુર

a-i, b-ii, c-iv, d-iii
a-iii, b-iv, c-ii, d-i
a-i, b-ii, c-iii, d-iv
a-iii, b-iv, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં.
2. હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોની બહુમતીના ટેકાવાળો હોવો જોઈએ.
3. ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાંજ હાથ ધરવામાં આવે છે.
4. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં.

માત્ર 1,2 અને 3
માત્ર 1 અને 2
1,2,3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP