GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે. 2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી. 3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ઉદ્યોગો / કંપનીઓને 'મહારત્ન’ દરજ્જો પ્રદાન કરવા માટેના લાયકાતના ધોરણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કંપની ભારતીય સ્ટોક એક્ષચેન્જમાં SEBI નિયમોનુસાર સૂચવેલ લઘુત્તમ જાહેર શેરહોલ્ડીંગ સાથે લીસ્ટેડ (listed) થયેલી હોવી જોઈએ. 2. છેલ્લા 3 વર્ષ દરમ્યાન વાર્ષિક ટનઓવર સરેરાશ રૂા. 25,000 કરોડથી વધુ હોવું જરૂરી છે. 3. કંપની મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઉપસ્થિતિ ધરાવતી અથવા આંતરરાષ્ટ્રીય કામગીરી ધરાવતી હોવી જોઈએ. 4. કોલ ઈન્ડિયા લી., GAIL અને SAIL મહારત્ન કંપનીઓ છે.