GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ? 1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય. 2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય. 3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે. 4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ? i. ગૃહ ii. સહાય અને પુનઃવસવાટ iii. માહિતી અને પ્રસારણ iv. કૃષિ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
રાજકોટ રાજ્યના રાજવી લાખાધીરાજ દ્વારા નીચેના પૈકી કયા પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી ? i. તમામ ચૂંટાયેલા સભ્યોવાળી પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરી. ii. કૃષિ બેંકની સ્થાપના કરી. iii. કાઠીયાવાડ હાઇસ્કુલ હસ્તગત કરી તેનું નામ આલ્ફ્રેડ હાઇસ્કુલ આપ્યું. iv. સ્ત્રીઓ માટે વાંચનાલય શરૂ કર્યું.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સમગ્ર ભારત જથ્થાબંધ ભાવસૂચક આંક (WPI)બાબતે નીચેના પૈકી કયું /ક્યા વિધાન /વિધાનો સાચું/ સાચાં છે ? i. સમગ્ર ભારત WPI માટે પાયાનું વર્ષ 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું છે. ii. સુધારેલી શ્રેણીઓમાં WPI બે મુખ્ય જૂથોનું બનેલું રહેશે- પ્રાથમિક ચીજવસ્તુઓને અને ઉત્પાદિત બનાવટો. iii. WPI ની નવી શ્રેણીઓમાં સંકલન માટે ઉપયોગમાં લેવામાં આવેલી કિંમતો પરોક્ષ કરવેરાઓનો સમાવેશ કરતી નથી.