GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે. 2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે. ૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે. 4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના ભૌતિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભૂમિભાગ નીચે મુજબના ચાર ક્ષેત્રોનો બનેલો છે. - વિશાળ પર્વત ક્ષેત્ર, ગંગા અને સિંધુના મેદાનો, રણ અને દક્ષિણ દ્વિપકલ્પ. 2. ગંગા અને સિંધુના મેદાનો નીચે મુજબના ત્રણ ભિન્ન નદી તંત્રના જળક્ષેત્રોમાંથી બનેલા છે. - સિંધુ, ગંગા અને કાવેરી. 3. ભારતમાં કચ્છનું નાનું રણ કચ્છના રણના છેડાથી શરૂ કરી ઉત્તર તરફ લુણી નદી પાર ફેલાયેલું છે. 4. દક્ષિણના દ્વિપકલ્પની એક તરફ પૂર્વધાટ અને બીજી તરફ પશ્ચિમઘાટ પર આવેલા છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે. 2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ 3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે. 4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.