GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે. 2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે. 3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રાજ્ય વિધાન પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. વિધાન પરિષદની મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 જેટલી નિયત કરવામાં આવી છે. 2. વિધાન પરિષદના 1/3 સભ્યો રાજ્યના સ્થાનિક સત્તામંડળોના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. 3. વિધાન પરિષદના 1/12 સભ્યો રાજ્યના માધ્યમિક શાળાની કક્ષા કરતા નીચલી કક્ષાના ન હોય એવી રાજ્યમાંની શિક્ષણ સંસ્થાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપવાનું કામ કરતા હોય તેવા શિક્ષકો દ્વારા ચૂંટાશે. 4. વિધાન પરિષદના કુલ સભ્યોના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટવામાં આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત સરકાર અધિનિયમ 1919 એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલિન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ (Council of State)ની રચનાની જોગવાઈ કરી. 2. આ રાજ્ય પરિષદ વાસ્તવમાં 1935 માં અસ્તિત્વમાં આવી. ૩. તે વખતે ગવર્નર-જનરલ તત્કાલિન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ હતા.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરવામાં આવ્યો છે ? 1. મંત્રીમંડળ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલી સલાહના પ્રશ્ને કોઈ ન્યાયાલયમાં તપાસ કરી શકાશે નહીં. 2. ભારત સરકારના કામકાજના વધુ સુગમ સંચાલન માટે રાષ્ટ્રપતિ નિયમો કરશે. 3. 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી છે.