GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચું / સાચાં છે ? 1. સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, POK તથા ચીન સાથે છે. 2. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન, ચીન અને મ્યાંમાર સાથે છે. 3. પશ્ચિમ બંગાળને ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે છે. 4. રાજસ્થાન પછી ગુજરાત એ પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંઘ રાજ્ય ક્ષેત્રો (Union Territories) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘરાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા. 2. 1961 વર્ષમાં ચંદીગઢ એ સંઘરાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું. 3. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા જે બાદમાં પૂર્ણ રાજ્યો તરીકે પરિવર્તિત થયા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ? 1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે. 2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે. 3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ? 1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice) 2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા 3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા 4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો. ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.