ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"ઊને પાણીએ ઘર ન બળે' એ કહેવતનો સાચો અર્થ કયો છે ?

કામ જાતે કરવાથી જ સિદ્ધ થાય.
થોડું થોડું કરતા મોટું કામ થાય.
ધીરજથી કામ સારું થાય.
મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ?

વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં
ફીફાં ખાંડવા - ઘાસ કાપવું
વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું
પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વા ફરે, વાદળ ફરે, ફરે નદીના પૂર' પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ?

વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે ?

બોલે તેના બોર વેચાય - ન બોલ્યામાં નવ ગુણ
સાઠે બુદ્ધિ નાઠી - ઘરડાં ગાડા વાળે
ઝાઝા હાથ રળિયામણા - ઝાઝી સુયાણીએ વેતર વંઠે
માગ્યા કરતાં મરવું ભલું - બળિયાના બે ભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP