GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે. 2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી. 3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 42મા અને 44મા બંધારણીય સુધારા અધિનિયમે મંત્રીમંડળ દ્વારા સહાય અને સલાહ રાષ્ટ્રપતિ માટે બંધનકર્તા બનાવી દીધી છે. 2. એક વખત સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું હતું કે લોકસભાના વિસર્જન થયા પછી પણ મંત્રીમંડળનો હોદ્દો (office) પૂર્ણ થતો નથી. 3. અનુચ્છેદ 74 વૈકલ્પીક છે, તેથી રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સહાય અને સલાહ વગર કારોબારી સત્તાઓ વાપરી શકે છે.