GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે. ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે. iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ? i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી. ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું. iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું. iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ?