GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિનું મુખ્ય લક્ષ્ય શું છે ?

વૃદ્ધિ દરમાં વધારો
ભાવ સ્થિરતાની ખાતરી
પૂર્ણ રોજગારનું સર્જન
વિનિમય દર સ્થિરતાની ખાતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.
વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે. વિધાનોની નીચે આપેલામાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. પુરવઠા રેખા પરની ગતિ પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન સૂચવે છે
II. પુરવઠા રેખાની ગતિ પુરવઠામાં વધારો અથવા ઘટાડો સૂચવે છે.
III. જો પુરવઠાની રેખા જમણી તરફ ગતિ કરે તો તે પુરવઠામાં ઘટાડો સૂચવે છે
IV. પુરવઠાની રેખા પર ઉપરની તરફની ગતિ પુરવઠાના જથ્થામાં ઘટાડો સૂચવે છે

II અને III
I અને II
I, II અને III
II, III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ?

ચક્રવર્તી સમિતિ
મરાઠા સમિતિ
દહેજિયા સમિતિ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય આવકવેરા ધારા-1961ની કલમ2(24) અનુસાર આવકમાં નીચેના પૈકી સમાવેશ થાય છે ?
i. કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે બેન્કિંગ ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ.
ii. કી-મેન ઇન્સ્યુરન્સ પોલીસી અંગે બોનસ સહીત મળેલ રકમ.

બંને i અને ii
માત્ર ii
માત્ર i
i અને ii બેમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.
બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP