GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી.
શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય હિસાબી ધોરણ-10 (Ind AS-10 ) નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા
આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી
એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી
પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___

વૈવિધ્યકરણ થયું છે
કેન્દ્રીકરણ થયું છે
ઈજારો સ્થાપિત થયો છે.
યથાવત રહ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ?

વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ.
આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે.
સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
i. ઘસારો કર જવાબદારીને ઘટાડે છે; તેથી તે ભંડોળનો સ્ત્રોત કહેવાય.
ii. વર્ષ દરમ્યાન ચાલુ જવાબદારીઓમાં ઘટાડો એ કાર્યશીલ મૂડીમાં વધારામાં પરિણમે છે.
iii. પારિભાષિક શબ્દ ‘રોકડ સમકક્ષ’માં ટૂંકા ગાળામાં વેચી શકાય તેવા રોકાણોનો સમાવેશ થાય છે.
iv. ડિબેન્ચર્સનું ઇક્વિટી શેરમાં રૂપાંતર ભંડોળ પ્રવાહ પત્રકમાં દેખાય છે.
v. કામગીરીમાંથી પ્રાપ્ત ભંડોળ શોધવા માટે ચોખ્ખા નફામાં માત્ર બિન-રોકડ ખર્ચા ઉમેરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પ માંથી ખોટા વિધાનો પસંદ કરો.

i, ii, iv અને v
ii, iii અને iv
i, iv અને v
i, iii, iv અને v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
બધા વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP