GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં કેન્દ્ર સરકારે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન) એક્ટ, 2015 માં માન્ય કરેલાં સુધારાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. આ સુધારા બાદ જિલ્લાઓના બાળ સુરક્ષા એકમ (Child Protection Unit) જિલ્લા મેજીસ્ટ્રેટ (DM) હેઠળ કાર્ય કરશે.
II. DM સ્વતંત્ર રીતે બાળકલ્યાણ સમિતિનું (Child Welfare Committee) અને ખાસ જુવેનાઈલ પોલીસ એકમ (Specialised Juvenile Police Unit) નું મૂલ્યાંકન કરશે.
III. તેઓ બાળ સંભાળ સંસ્થા (Child Care Institute) ની ક્ષમતા અને પાશ્ચાદભૂમિકા ચકાસશે ત્યારબાદ તેની નોંધણી માટે ભલામણ થઈ શકશે.

I, II અને III
ફક્ત I અને II
ફક્ત II અને III
ફક્ત I અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?

ડાઈક્લોફિનેક
મેલોક્ષીકામ
કારપ્રોફેન
આઈબુપ્રોફેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારતીય ક્રિકેટર રીષભ પંતે ICCના પ્રથમ ‘‘પ્લેયર ઓફ મન્થ’’ પુરસ્કાર જીત્યો. ___ દેશની ખેલાડીએ આ પુરસ્કાર મહિલા વર્ગમાં જીત્યો.

ઓસ્ટ્રેલિયા
વેસ્ટ ઈન્ડીઝ
ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ખડકો વિશે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકો મેગ્મા નામની પીગળેલી સામગ્રીમાંથી નક્કર બને છે.
2. રૂપાંતરિત ખડકો એ છે કે જે વહેતા પાણી, પવન, બરફ અથવા જીવ સજીવોની મદદથી પૃથ્વીની સપાટી પર જમા થાય છે અને પથ્થરમાં ફેરવાઈ જાય છે.
3. આરસપહાણ રૂપાંતરિત ચૂનાનો પથ્થર છે, ક્વાર્ટઝાઈટ રૂપાંતરીત રેતીનો પથ્થર છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સેન્સેક્સમાં વધારાનો અર્થ ___ છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો
આપેલ પૈકી કોઈ નહીં
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કંપનીઓના જૂથની કંપનીઓ તરીકે નોંધણી થયેલી તમામ કંપનીઓના શેરના ભાવમાં વધારો
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નોંધણી થયેલા તમામ કંપનીના શેરના ભાવમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો.
2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે.
૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે.
4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP