GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીયોટ (Siyot) ગુફાઓ વિશે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સીયોટ ગુફાઓનો કાટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઉલ્લેખ થાય છે. 2. આ ગુફાઓ એ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલી ખડક કાપવાળી (Rock cut) પાંચ ગુફાઓ છે. 3. મુખ્ય ગુફા પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ (ambulatory) તથા અંતરાલ ખંડો (space divisions) ધરાવે છે જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિરનું સૂચન કરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન /કયા વિધાનો ઓ પુરંદરની સંધિના ભાગ રૂપ ન હતા ? 1. શિવાજીના સગીર પુત્ર સાંભાજીને કોઈ પ્રકારની માનસાબ (mansab) મંજૂર કરવામાં આવી ન હતી. 2. મુઘલો એ શિવાજીના બીજાપુર ઉપરના હકને માન્ય રાખ્યો નહિ 3. શિવાજીએ તેમના કબજા હેઠળના 35 કિલ્લાઓ પૈકીના 23 કિલ્લાઓ સમર્પિત (surrender) કરવા પડ્યા. 4. પુરંદરની સંધિ માટે શિવાજી દ્વારા રાજા જયસિંહ સાથે વાટાઘોટો કરવામાં આવી હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1.સપ્ત - માતૃકા શિલ્પકૃતિએ ગુજરાતમાં પ્રખ્યાત છે. 2. સપ્ત - માતૃકાની પૂજા એ ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમ્યાન શરૂ થઈ હતી. 3. સપ્ત - માતૃકા સામાન્ય રીતે એકજ પેનલમાં કોતરવામાં આવે છે. 4. સપ્ત - માતૃકા મંદિરો એ ગુજરાતમાં પચ્ચતર (Pachhtar) આડોદર અને બાલેજ ખાતે સ્થિત છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.