GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા. ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી (સ્પેસ ટેકનોલોજી) બાબતે સાચાં છે ? i. MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા -ઇન્ટરમિડીએટ સર્ક્યુલર ઓર્બીટ પણ કહેવાય છે. ii. MEO ને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે. iii. આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ? 1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. 2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે. 3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે. 4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો એક વ્યક્તિ 8 કિમી / કલાકની ઝડપે 24 કિમી ચાલે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તે એટલું જ અંતર 12 કિમી / કલાકની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે ?