GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વર્ષ 2021-2022 ના ગુજરાતના અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. સરકારે આગામી પાંચ વર્ષ માટે રૂા. 1 લાખ કરોડની નોંધપાત્ર રકમ સાથેની વન બંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી. 2. દરિયા કિનારાના 15 જિલ્લાઓના 39 તાલુકાઓના 2702 ગામમાં નિવાસ કરતા 70 લાખ લોકોના સર્વાંગી વિકાસ માટે સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના-2ની જાહેરાત કરી. 3. આગામી બે વર્ષમાં સરકારી બોર્ડ, નિગમો તથા સ્થાનિક સ્વરાજની કચેરીઓમાં લાયકાત ધરાવતા 2 લાખ યુવાનોને નવી રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના નામાંકિત કરેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવતા નથી. 2. રાજ્યની વિધાન પરિષદના ચૂંટાયેલા સભ્યો ભાગ લેવા માટે લાયકાત ધરાવે છે જ્યારે નામાંકિત કરેલા સભ્યો લાયકાત ધરાવતા નથી. 3. જ્યારે ધારા સભાનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે તેના સભ્યો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા માટેની લાયકાત ધરાવતા નથી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.