GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો.

Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend)
PAT = કરબાદ નફો (Profit After Tax)
EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share)
Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.
(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ.
(II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.
(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.
(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.

એકપણ નહીં
(I) અને (III)
(II) અને (IV)
બધાં જ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલની માન્યતા બાદ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The CGST Bill), ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The IGST Bill), યુનિયન ટેરીટરીઝ્ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ બિલ 2017 (The UGST Bill), ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ (રાજ્યોને વળતર) બિલ 2017 (The Compensation Bill) પસાર કરવામાં આવ્યા હતા.
(I) 9મી માર્ચ, 2017 ના રોજ લોકસભામાં
(II) 10મી એપ્રિલ, 2017 ના રોજ રાજ્યસભામાં
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને ખોટાં છે.
બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ ઉદાસીનતા વક્રની લાક્ષણિકતા નથી ?

ઉદાસીનતા વક્ર મૂળસ્થાન તરફ બહિર્મુખ હોય છે.
ઉચ્ચ ઉદાસીનતા વક્ર એ તૃષ્ટિગુણને ઉચ્ચસ્તર દર્શાવે છે અને તેવું જ વિરૂધ્ધમાં પણ થાય છે.
બે ઉદાસીનતા વક્ર એકબીજાને છેદી શકે છે.
ઉદાસીનતા વક્ર નકારાત્મક ઢાળ દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારા 2013, ની પેટાકલમ (1) મુજબ કોઈપણ કંપની પોતાના નફા કે અનામતોને પૂર્ણ ભરપાઈ બોનસ શૅર બહાર પાડવા માટે મૂડીકૃત કરી શકે નહી, સિવાય કે –

બોર્ડની ભલામણોને આધારે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી સત્તા આપેલ હોય.
આપેલ તમામ
આર્ટિકલ્સ દ્વારા સત્તા આપેલ હોય.
નિયત થાપણ કે સલામત દેવાની ચૂકવણી કે જેમાં વ્યાજ કે મુદ્દલ ચૂકવવામાં ચૂક ન થયેલ હોય તો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સમાન સીમાંત તૃષ્ટિગુણનો નિયમ કેટલીક ધારણાઓને આધારે છે, તેમાંની કેટલીક નીચે મુજબ છે. તેમાંથી કઈ સાચી છે તે જણાવો.
(I) ઉપભોક્તા તર્કસંગત છે.
(II) તૃષ્ટિગુણ એ ક્રમિકતા ધરાવે છે.
(III) ઈચ્છાઓ અને વસ્તુઓ અવેજપાત્ર નથી.
(IV) વસ્તુઓની કિંમત બદલાયા વગરની રહે છે.

બધાં જ
માત્ર (I) અને (IV)
માત્ર (I) અને (II)
માત્ર (II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP