GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે. ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે. iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
રાજ્યપાલને સોંપાયેલી ખાસ જવાબદારીઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? i. ઉત્તરાખંડમાં આદિજાતિ વિસ્તારોનો વહીવટ ii. મણીપુરમાં પર્વતીય વિસ્તારોનો વહીવટ iii. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડની સ્થાપના
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે. ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે. iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે. iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતમાં દેવીપૂજક લોક સમુદાયની ખાસ સાંકેતિક શબ્દભંડોળ ધરાવતી ‘પારસી’ બોલીના સંદર્ભે જોડકાં જોડો. a. મધવો b. માઢ c. ગણેશકાકા બેસાડવા d. ચોવન કરવું i. ચોરી કરવી ii. જમવું iii. પોલીસ iv. દારૂ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈકોનોમીક્સ એન્ડ પીસ (IEP) એ તાજેતરમાં '2019 વૈશ્વિક આતંકવાદ સૂચકાંક : આતંકવાદની અસરોનું માપન' (2019 Global Terrorism Index: Measuring the impact of Terrorism) બહાર પાડેલ છે. આ સૂચકાંક પ્રમાણે આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં વર્ષ 2018 માં ભારત સાતમા ક્રમે આવેલ હતું. આ યાદીમાં ટોચના ક્રમે આવનાર દેશ ___ હતો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે. ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે. iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.