GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી વાંચો અને કયું / ક્યાં સાચું / સાચાં છે, તે જણાવો. (I) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 19 સભ્યો હોય છે. (II) EXIM બેંકના અધ્યક્ષ અને વહીવટી નિયામક એ મુખ્ય કાર્યપાલક અને પૂર્ણસમયના નિયામક છે. (III) EXIM બેંકની સત્તાવાર મૂડી રૂા. 200 કરોડ છે, કે જેમાં રૂા. 75 કરોડ ભરપાઈ મૂડી છે. (IV) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વેપારી બેંકના પ્રતિનિધઓનો સમાવેશ થતો નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાયદામાં આપેલ વ્યાખ્યાઓના સંદર્ભમાં નીચેની બાબતો ધ્યાનમાં લો. (I) ‘ધંધા’ની વ્યાખ્યા કલમ 2(17) આપે છે. (II) માલ અથવા સેવા અથવા બંને પૂરી પાડવાના સંદર્ભમાં ‘‘અવેજ''ની વ્યાખ્યા કલમ 2(31) આપે છે. (III) “ઇલેક્ટ્રોનિક વાણિજ્ય ઓપરેટર"ની વ્યાખ્યા કલમ 2(52) આપે છે. (IV) ‘માલ’’ની વ્યાખ્યા કલમ 2(45) આપે છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપનીના આર્ટિકલ્સ દ્વારા અધિકાર હોય તો જ, કંપની શૅરહોલ્ડરના શૅર જપ્ત કરી શકે છે જ્યારે – (I) શૅરહોલ્ડરે હપ્તાના નાણાં ભર્યા ન હોય. (II) નિર્ધારીત કરેલ દિવસે, શૅરહોલ્ડરે કોઇપણ હપ્તો ભરેલ ન હોય અને શૅરહોલ્ડરને ધ્યાન પર લાવવામાં આવ્યા પછી પણ ભરેલ ન હોય.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો. (I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે" (II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે. (III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે. (IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.