GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી. ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી. iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 42મા બંધારણીય સુધારા અધિનિયમ 1976 એ 1971 ની વસ્તીગણતરીના આધારે રાજ્યોને લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી. 2. સન 2001ના 84માં સુધારાના અધિનિયમ અનુસાર વધુ 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવી. 3. 87મા બંધારણીય સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવાનું જણાવ્યું.