GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. વર્તમાન સાપ્તાહિક સ્થિતિ – આ અંદાજ હેઠળ, વ્યક્તિએ જો તે સપ્તાહ દરમ્યાન એક દિવસ માટે પણ લઘુત્તમ એક કલાક માટે રોજગારી મેળવેલ હોય તો તે રોજગારી મેળવતો હોવાનું ગણાય છે.
2. વર્તમાન દૈનિક સ્થિતિ – આ પધ્ધતિ હેઠળ, વ્યક્તિ રોજગારી મેળવતી હોવાની તો કહેવાય કે જો તેણે લઘુત્તમ 4 કલાક જે તે દિવસે કામ કર્યું હોય.
3. રોજગારની તીવ્રતા (Employment Intensity) – વાસ્તવિક કુલ ઘરગથ્થું ઉત્પાદન (Real GDP) ના એક હજારે રોજગારી મેળવતી વ્યક્તિઓની સંખ્યા

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કર-મહેસૂલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કર સરકારી પ્રવૃત્તિઓને ભંડોળ પુરૂ પાડવા માટે વ્યક્તિઓ અને કોર્પોરેશનો પાસેથી વસુલાતી સ્વૈચ્છિક ફી છે.
2. કુલ ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) ટકાવારી તરીકે કુલ કર મહેસૂલ સરકાર દ્વારા કરવેરાઓ મારફતે ઉઘરાવવાનો દેશના ઉત્પાદનનો હિસ્સો સૂચવે છે.
૩. કર-મહેસૂલ આવકવેરો, કોર્પોરેશન વેરો, સીમા શુલ્ક, સંપત્તિ વેરો, જમીન મહેસૂલ ઉપર વેરો વિગેરેના ઉઘરાણાનો સમાવેશ કરે છે.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક વ્યક્તિ એક ચોક્કસ રકમ પર છ વર્ષ બાદ રૂા. 15,200 સાદા વ્યાજ તરીકે મેળવે છે. જો પ્રથમ બે વર્ષ માટે વ્યાજનો દર 3%, તે પછીના ત્રણ વર્ષ માટે 8% અને ત્યાર પછીના વર્ષ માટે 10% હોય તો તે ચોક્કસ રકમ કેટલી હશે ?

આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 38,000
રૂ. 39,800
રૂ. 34,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
હિંદ મહાસાગરમાં લશ્કરી અને વેપારી નૌકાજહાજોની ગતિવિધિઓનું નિયંત્રણ-દેખરેખ રાખવા માટે DRDO દ્વારા વિકસાવવામાં આવેલા નીચેના પૈકી કયા ઉપગ્રહનું ISRO દ્વારા પ્રક્ષેપણ કરવામાં આવ્યું?

સિંધુગરૂડ
ગરૂડનેત્ર
સિંધુનેત્ર
સમુદ્રનેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં નથી ?
1. જ્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ફરજો બજાવી શકતા નથી.
2. ઉપરાષ્ટ્રપતિ ભારતના એકત્રિત ભંડોળમાંથી પગાર અને અન્ય ભથ્થાઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે મેળવે છે.
3. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે ફરજો બજાવે છે ત્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ, રક્ષણ અને વિશેષાધિકારો ભોગવે છે.
4. જ્યારે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ફરજો કોણ બજવશે તે બાબતે બંધારણ મૌન (silent) છે.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP