GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી. 3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional Poverty Index) (MPI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવનધોરણ MPI ના ત્રણ પરિમાણો છે. 2. જીવનધોરણમાં કુલ 6 સૂચકો (indicators) છે. 3. ઉપરોક્ત ત્રણ પરિમાણોમાં જીવનધોરણનું પરિમાણ સૌથી વધુ વજન ધરાવે છે. 4. જો વ્યક્તિ વજનવાળા સૂચકો (weighted indicators) માં ઓછામાં ઓછા એક તૃત્તીયાંશ વંચિત (deprived) હોય તો તે બહુપરિમાણીય ગરીબ (Multidimensional Poverty) ગણાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો. 2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે. 3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત સરકારના 2021-2022 ના અંદાજપત્રના 6 સ્તંભો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અંદાજપત્રનો સ્વાસ્થ્ય અને સુખાકારીનો સ્તંભ નિવારક, ઉપચારક અને સુખાકારી પગલાંઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે. 2. 500 AMRUT શહેરો માટે પ્રવાહી કચરા વ્યવસ્થાપનની જોગવાઈ અંદાજપત્રના ભૌતિક અને નાણાકીય તેમજ આંતરમાળખાકીય સ્તંભ હેઠળ કરવામાં આવી છે. 3. માનવ મૂડી (Human Capital) સ્તંભને પુનર્જીવીત કરવાના સ્તંભ હેઠળ બિનસરકારી સંગઠનો, ખાનગી શાળાઓ અને રાજ્યોની ભાગીદારીમાં 1000 નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવામાં આવશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ? 1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી. 2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા. 3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી