GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ? 1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice) 2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા 3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા 4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ? i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે. ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે. iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
X એક કામ 24 દિવસમાં અને Y તે જ કામ 36 દિવસમાં કરે છે. જો X ત્રણ દિવસ કામ કરે અને રૂ. 3,600 મેળવે, તથા બાકીનું કામ Y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો, Y એ કેટલા રૂપિયા મેળવ્યા હશે ?